સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રસ્તાવના

પ્રસ્તાવના

આજનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે. એની અસર કુટુંબ અને લગ્નજીવન પર થાય છે. શું આવા સંજોગોમાં પણ કુટુંબ સુખી થઈ શકે? એ હંમેશાં સહેલું નથી. પરંતુ, આપણને મદદ મળી શકે છે. ખરું કે, લગ્નજીવન સુખી બનાવવા માટે બધી જ સલાહ આ પુસ્તિકામાં આપવામાં આવી નથી. પરંતુ, એમાં બાઇબલના મહત્ત્વના સિદ્ધાંતો અને જરૂરી સૂચનો આપવામાં આવ્યાં છે. જો એને યોગ્ય રીતે લાગુ પાડવામાં આવે, તો તમારું કુટુંબ પણ સુખી બની શકશે.