સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | અંત શું એ નજીક છે?

અંતમાંથી ઘણા બચી જશે!—તમે પણ બચી શકો

અંતમાંથી ઘણા બચી જશે!—તમે પણ બચી શકો

બાઇબલ જણાવે છે કે અંત વખતે મોટો વિનાશ થશે. એમાં જણાવ્યું છે: ‘એ સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે એના જેવી જગતના આરંભથી તે હમણાં સુધી થઈ નથી. અને જો એ દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ પણ માણસ બચી ન શકત.’ (માથ્થી ૨૪:૨૧, ૨૨) પરંતુ, ઈશ્વર વચન આપે છે કે ઘણા માણસો બચી જશે. બાઇબલ કહે છે: ‘જગત જતું રહે છે; પણ ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે કાયમ રહે છે.’—૧ યોહાન ૨:૧૭.

જો તમે જગતના અંતમાંથી બચીને ‘કાયમ’ જીવવા માંગતા હો, તો તમારે શું કરવું જોઈએ? શું તમારે ખોરાક-પાણી ભેગા કરવા જોઈએ? અથવા એવી બીજી તૈયારીઓ કરવી જોઈએ? ના. બાઇબલ તો આપણને એનાથી સાવ જુદું જ કરવાની અરજ કરે છે. એ જણાવે છે: ‘એ સર્વ નાશ પામનાર હોવાથી પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ એનો વિચાર કરો. ઈશ્વરના એ દિવસની આતુરતાથી રાહ જુઓ.’ (૨ પીતર ૩:૧૦-૧૨) આખો અહેવાલ બતાવે છે તેમ, નાશ થનાર “એ સર્વ” બાબતોમાં આનો પણ સમાવેશ થાય છે, દુનિયાની ભ્રષ્ટ સરકારો અને ઈશ્વરના રાજ્યને બદલે એ સરકારોને ટેકો આપતા લોકો. તેથી, સ્પષ્ટ છે કે, ભેગી કરેલી ચીજવસ્તુઓ આપણને વિનાશમાંથી બચાવી નહિ શકે.

સાચે જ, આપણો બચાવ થાય માટે જરૂરી છે કે યહોવા ઈશ્વરની દિલથી ભક્તિ કરીએ. તેમ જ, તેમને ખુશી મળે એવાં વાણી-વર્તન કેળવીએ. (સફાન્યા ૨:૩) આજે દુનિયામાં મોટા ભાગના લોકો અંતના સમયની નિશાનીઓની અવગણના કરી રહ્યા છે. આપણે તેઓના પગલે ન ચાલવું જોઈએ. પણ, ‘યહોવાના દિવસની આતુરતાથી રાહ જોવી’ જોઈએ. તમે ઇચ્છો તો, યહોવાના સાક્ષીઓ તમને બાઇબલમાંથી બતાવી શકે કે તમે કઈ રીતે આવનાર અંતમાંથી બચી શકો. (w૧૫-E ૦૫/૦૧)